PM Ujjwala Yojana
PM Ujjwala Yojana માં રાવલ પંથકની બહેનો પરેશાન: આવક દાખલો–એફિડેવિટ ફરજિયાત થતાં સરકારી કચેરીઓના ચક્કર
રાવલ પંથકમાં પી.એમ. ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શન માટે અરજદારો છેલ્લા કેટલાક દિવસથી કચેરીઓ અને બેંકો વચ્ચે દોડતા રહ્યા છે. નવા નિયમો અનુસાર આવકનો દાખલો અને એફિડેવિટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે, જેના કારણે મહિલાઓને વારંવાર મામલતદાર કચેરી, વકીલ અને બેંકમાં ભટકવું પડે છે. રાવલની બેંકોમાં સર્વર ડાઉન થવાને કારણે સ્ટેટમેન્ટ મેળવવામાં મુશ્કેલી આવી રહી છે.





