ગુજરાતના જાણીતા અને લોકપ્રિય પત્રકાર, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ પ્રાર્થના ફાઉન્ડેશનના સંસ્થાપક ઈસુદાન ગઢવીનો આજે જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તેમના જન્મદિવસના અવસરે રાજકીય, સામાજિક અને પત્રકારત્વ ક્ષેત્રના અનેક આગેવાનો તેમજ સામાન્ય નાગરિકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
સામાન્ય ખેડૂત પરિવારમાંથી પત્રકારત્વ સુધીનો સફર
ઈસુદાન ગઢવીનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવી તેમણે મહેનત, સંઘર્ષ અને નિષ્ઠા સાથે પત્રકારત્વ ક્ષેત્રે પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું. સત્ય અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપતા તેમણે લાંબા સમય સુધી પત્રકાર તરીકે લોકોની અવાજ બનવાનું કાર્ય કર્યું.

પત્રકારત્વમાં આગવી ઓળખ
પત્રકારત્વના ક્ષેત્રે ઈસુદાન ગઢવી નિર્ભય અને નિષ્પક્ષ રિપોર્ટિંગ માટે જાણીતા રહ્યા છે. સરકાર સામે સામાન્ય નાગરિકો, ખેડૂતો, યુવાનો અને પીડિત વર્ગોના પ્રશ્નોને તેમણે બુલંદ રીતે રજૂ કર્યા. તેમની સ્પષ્ટ ભાષા અને તર્કસભર રજૂઆતને કારણે તેઓ જનતામાં ખૂબ લોકપ્રિય બન્યા.

જનસેવાના ઉદ્દેશ સાથે રાજકારણમાં પ્રવેશ
પત્રકારત્વ દરમિયાન સમાજના અનેક પ્રશ્નોને નજીકથી જોયા બાદ ઈસુદાન ગઢવી જનસેવા ના ધ્યેય સાથે રાજકારણમાં પ્રવેશ્યા. તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી.
ખેડૂતો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નો માટે સતત લડત
રાજકારણમાં આવ્યા બાદ પણ ઈસુદાન ગઢવીએ ખેડૂતોના હક્ક, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર સતત સરકાર સામે અવાજ ઉઠાવ્યો. વિધાનસભાથી લઈને જાહેર મંચો સુધી તેમણે જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપી છે.
પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા સામાજિક કાર્ય
રાજકારણ ઉપરાંત ઈસુદાન ગઢવી પ્રાર્થના ફાઉન્ડેશન મારફતે સામાજિક ક્ષેત્રે પણ સક્રિય છે. ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, સહાય અને સેવા સંબંધિત અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જે સમાજના નબળા વર્ગ માટે સહારો બની રહી છે.










